ગારિયાધારમાં સંતશ્રી શંકરગીરી બાપુની ત્રીજી પુણ્યતિથિની ઉજવણી
પુણ્યતિથિ નિમિતે સરબત અને બટુક ભોજન વિતરણ કરાયું
ગારિયાધારમાં સંતશ્રી શંકરગીરી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે સરબત અને બટુક ભોજન વિતરણ કરાયું
ગારિયાધાર ખાતે પૂજ્ય સંતશ્રી શંકરગીરી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે બસસ્ટેન્ડ પાસે સરબતનો સ્ટોલ રાખી રાહદારીઓ અને સ્થાનિક લોકોને સરબત વિતરણ કરવામાં આવ્યું હતું ગારિયાધાર શહેર હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે આ પ્રસંગે હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકો એકસાથે મળી સેવા કાર્યમાં જોડાયા હતા સવારથી જ શરૂ કરાયેલા આ સરબત વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને સેવાભાવ સાથે લોકોને ઠંડુ સરબત પીવડાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા સંતશ્રી શંકરગીરી બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહેરમાં ભાઈચારો એકતા અને માનવસેવાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો…

